હિન્દ ન્યૂઝ, દિયોદર,
દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈ માં કલર નું કામ કરતો એક યુવાન નું પાણી ની ટાંકી માં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પથક માં ચકચાર મચી જવા પામી છે. દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈ માં આવેલ એક દુકાન આગળ પાણી ની ટાંકી માં દુર્ગન મારતા દુકાન ના માલિકે પાણી ની ટાંકી માં તપાસ કરી હતી. જેમાં એક યુવક ની લાશ પડી હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે લાશ ને બહાર કાઢી તપાસ કરતા મૃતક રેલવે સ્ટેશન ગોળાઈ માં કલર નું કામ અને પેપર નું વિતરણ કરતા રમેશભાઈ પઢીયાર ની હોવાનું જણાતા પરિવારજનો ને જાણ કરવામાં આવી હતી. જેમાં પરિવારજનો દોડી આવ્યા હતા અને મૃતક ની લાશ ને પી એમ અર્થ મુકલી એડી મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર